નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવા ઘણા સુવિચાર “Suvichar For Gujarati Status and Photos (ગુજરાતી સુવિચાર સ્ટેટસ અને ફોટો)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.
આજ નો યુગ સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકાય અને આપણી સવાર સ્માર્ટ ફોન થી શરુ થાય છે, જયારે દિવસ નો અંત પણ આપણે ફોન ની સાથે જે કરીએ છીએ. અહીં આમે થોડા સુવિચાર આપ્યા છે, જેનો ઉપીયોગ તમે તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે પ્રોફાઈલ ફોટો તરીકે આસાની થી કરી શકો છો.
Table of Contents
Suvichar For Gujarati Status and Photos (ગુજરાતીઓ માટે સુવિચાર સ્ટેટસ અને ફોટો)
નીચે તમને થોડા સુવિચાર નું એક સુંદર લિસ્ટ આપવામાં આવ્યું છે, જેનો ઉપીયોગ તમે સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર આસાની થી કરી શકો છો. તમે કોઈ પણ ફોટો અથવા ટેક્સ્ટ ને સેવ કરી અને તમારા વોટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. અહીં આપેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કઈ રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલ છે.
વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે.
પરિણામની જે પરવા કરતો નથી, એ માણસને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.
પડવું એ પતન નથી, પણ પડ્યા રહેવું એ પતન છે.
આદતને જો રોકવામાં ન આવે તો તે ટેવ બની જાય છે.
જે માણસ બીજાને કદી દુઃખી કરતો નથી એ જેન્ટલમેન છે.
નમ્રતા વિનાનો માણસ, એ પાણી વગરની નદી જેવો છે.
ભૂલ એ એવો છોડ છે, જે દરેક ભૂમિમાં જરૂર ઉગે છે.
ફરિયાદ કરે એવું નહિ, પરંતુ ”ફરી યાદ” કરે તેવું જીવન જીવવું મહત્વપૂર્ણ છે.
ભૂતકાળમાંથી ભૂલોને શોધો, સ્વિકારો અને સુધારો.
જે વ્યકિતને પોતાનું કામ આનંદ આપે છે, તે જ સફળતાને વરે છે.
સમાજમાં રહેતા દાનવ ત્યારે જ મરી શકે છે, જયારે માનવ ખરા અર્થમાં માનવ બને.
ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.
ગુણ અને જ્ઞાનનો સદુપયોગ આખરે આત્મવિકાસમાં પરિણમે છે.
ધીરજ એ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ હંમેશા મીઠા જ હોય છે.
શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો.
સફળતા ગુમાવી દેવાનું નિશ્ચિત કારણ કોઈ હોય તો તે છે તક ગુમાવી દેવી.
ખરેખર ભવિષ્ય હોતું જ નથી,માત્ર નિર્માણ કરવાનું હોય છે.
હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાડે છે.
ઈચ્છાઓ ઓછી કરવાથી સમસ્યાઓ ઓછી થઈ જશે.
સમયસર નહિ પરંતુ સમય પહેલા કાર્ય પૂર્ણ કરો.
કોધ ક્ષણજીવી હોય છે, પણ જે ક્રોધ નુકશાન કરે છે તે ચિરંજીવી હોય છે.
જે મળે તે ગમે એનું નામ સુખ.
વેરમાં હમેશા વાંધો હોય છે , જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે દુનિયા નો સૌથી વધુ ગરીબ છે.
શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો પણ મુકાબલો કરવાની શક્તિ.
ઉદાર હૃદય વિનાના ધનવાન વ્યક્તિ પણ એક ભિખારી જ છે.
જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોતરી.
પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
ઘ્યેય વિનાનું જીવન સુકાન વગરની નાવ જેવું છે.
સમય આપણને શાણા બનાવે તે પહેલા જ સમયસર શાણા બની જવું જરૂરી છે.
ઘણા આવનારા દુઃખોનાં સમૂહનું નામ ”આળસ” છે.
નિષ્ફળતા મળે કે, પાછા પડો ત્યારે પણ ઊંચા વિચારો કરો.
ઉદાર માણસ જીવે ત્યાં સુધી આનંદથી જીવે છે અને કંજૂસ આજીવન દુઃખી રહે છે.
આત્મવિકાસ કરવાનું મોટામાં મોટું સાધન ”સ્વાઘ્યાય” છે.
જેને પોતાનામાં વિશ્વાસ છે, તે જ બીજાઓ નો વિશ્વસનીય બની શકે છે.
સોથી મોટો દોષ, કોઈ દોષનું ભાન ન હોવું તે છે.
અસત્ય વિજયી નિવડે, તો પણ તે અલ્પજીવી હોય છે.
જે સંજોગોને અનુકૂળ થઈને જીવે છે તે સૌથી સુખી છે.
આદર્શ વગરનો મનુષ્ય કપ્તાન વગરનાં જહાજ જેવો છે.
નિષ્ફળતા મળે તો હિંમત રાખવી ને સફળતા મળે તો વિનમ્રતા.
સદગુણ વિના સુંદરતા પણ અભિશાપ છે.
જયાં કોઈ ઉપાય જ નથી ત્યાં ખેદ કરવો કોઈ યોગ્ય નથી.
પ્રથમ રહું તે સ્પર્ધા પણ મારા હરિફ પાછળ રહે તે ઈર્ષ્યા.
દુર્જન સંત હોવાનો ઢોંગ કરે ત્યારે વધુ દુષ્ટ થઈ જાય છે.
પોતાના ગુરૂનાં માન આદર વિના સાચી વિધ્યા ન આવે.
ઈશ્વરની ન્યાય ચક્કી ધીમી ચાલે છે,પણ ચાલે છે એમાં શંકા નહિ.
જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે, જે દિવસે આપણે હસ્યા ના હોઈએ.
સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
અસત્ય આધારિત સંબંધ રેતીનાં પાયા પર બનેલ ભવન સમાન છે.
સારૂ કામ કરવું એટલું બસ નથી પણ સાચા રસ્તે કરવું મહત્વપૂર્ણ છે.
માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ.
જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી , દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે.
ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
સુખને સંપૂર્ણ માણવું હોય તો, તમારી સાથે કોઈ ભાગીદાર હોવો જરૂરી છે.
સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે.
શિખામણ તો ઘણાને મળે છે, માત્ર ડાહયો જ એનો લાભ ઉઠાવે છે.
જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
મૌન રહો અને તમારી સુરક્ષા કરો, મોન કદી તમારો વિશ્વાસઘાત નહિ કરે.
જો એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારૂ બોલશો.
અનુભવ એ સોથી શ્રેષ્ઠ પાઠશાળા છે.
જહાજ દરિયાકિનારે સલામત હોય, પરંતુ જહાજ તો મધદરિયા માટે જ બન્યું હોય છે.
સાચુ ન લાગે તેવું સત્ય બોલતા પેહલા તેના પરિણામનો સો વાર વિચાર કરી લેવો જોઈએ.
પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને
શિક્ષણની સાધના કરવી એનું નામ ભણતર.
અભાવ એ ”નિષ્ફળતા” નું આયોજન છે.
ઉપદેશનો પ્રભાવ વાણીથી નહિ,આચરણથી થાય છે.
દિવસે એવા કામ કરો કે રાત્રે આરામથી ઊંઘ આવે.
વિવેક વિનાની વિધાનું પરિણામ કેવળ શ્રમ હોય છે.
બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
હજારો કિલોમીટર ની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.
વૃત્તિ શ્રેષ્ઠ હશે તો પ્રવૃત્તિ આપોઆપ શ્રેષ્ઠ થઈ જશે.
સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે.
સિદ્ધિની સીડી ચડવા માટે “સાહસ” એ પ્રથમ પગથિયું છે.
શકિતશાળી સાથે નહિ પરંતુ સત્યની સાથે રહેવાનું પસંદ કરીશ.
સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ.
કહ્યા પહેલાજ સમજી જાય, એનું નામ સાચો મિત્ર.
જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી તે કદી કશું શીખી શકતો નથી.
સુંદરતા જોવા માટે દ્રષ્ટિ જોઈએ.
FAQ
અહીં દર્શાવેલ સુવિચાર કોપી કઈ રીતે કરવા?
તમામ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.
Suvichar For Gujarati ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?
કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.
શું હું અહીં આપેલ ગુજરાતી સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?
હા અહીં આપેલા તમામ સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.
Summary (સારાંશ)
અહીં આ “Suvichar For Gujarati Status and Photos (ગુજરાતીઓ માટે સુવિચાર સ્ટેટસ અને ફોટો)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.